ઈન્દોરના રાજા રઘુવંશી કેસ જેવી જ ‘હનીમૂન હત્યા’ની ઘટના બની છે. અહીં 23 વર્ષીય અંજલિએ તેના 7 વર્ષ જૂના પ્રેમી સંજય સાથે મળીને તેના પતિ આશિષ કુમારની હત્યાનું ખૌફનાક કાવતરું રચ્યું હતું. 30 ઓક્ટોબર 2025ના રોજ લગ્ન થયા હોવા છતાં અંજલિ આ સંબંધથી ખુશ નહોતી કારણ કે તે સંજય સાથે રહેવા માંગતી હતી. 30 જાન્યુઆરીની રાત્રે, અંજલિ આશિષને જમ્યા પછી ફરવા જવાના બહાને ઘરની બહાર લઈ ગઈ. તેણે અગાઉથી જ સંજય અને તેના બે સાથીઓને એક નિર્જન રસ્તા પર ઝાડીઓમાં છુપાવી રાખ્યા હતા.
જેવો આશિષ ત્યાં પહોંચ્યો, અંજલિના ઈશારે આરોપીઓએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો. આટલા હુમલા પછી પણ જ્યારે આશિષના શ્વાસ ચાલુ હતા, ત્યારે મફલર વડે તેનું ગળું દબાવીને તેને મારી નાખવામાં આવ્યો. ઘટનાને લૂંટમાં ખપાવવા માટે અંજલિએ પોતાના દાગીના અને આશિષનો ફોન પ્રેમીને આપી દીધા અને પોતે બેભાન હોવાનું નાટક કર્યું. પોલીસને શરૂઆતમાં આ અકસ્માત લાગ્યો હતો, પરંતુ અંજલિના શરીરે પર એક પણ ઈજા ન હોવી અને વારંવાર બદલાતા નિવેદનોએ શંકા જન્માવી. મેડિકલ રિપોર્ટમાં ગળું દબાવવાના નિશાન મળતા પોલીસની શંકા દ્રઢ બની.
અંજલિના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સની તપાસ કરતા જાણવા મળ્યું કે તે સતત સંજયના સંપર્કમાં હતી. આખરે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે અંજલિએ પોતાનો ગુનો કબૂલી લીધો. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રેમ અને વિશ્વાસના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. ચારેય આરોપીઓ અત્યારે પોલીસ રિમાન્ડ પર છે. આ ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં બની છે.
આ પણ વાંચો:સુરતમાં શુટ અને ચશ્મા પહેરીને આવ્યા નકલી ઑફિસર ! રેડ પાડી તો બધા ડરી ગયા પછી બન્યું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
