સુરતમાં બનેલી બિલ્ડર આત્મહત્યા કેસમાં રહસ્ય ઘેરાયું છે. ફેબ્રુઆરીની રાત્રે ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. 2 ફેબ્રુઆરી કંકોત્રી લેખનનો કાર્યક્રમ હતો. પણ રાત્રે અંગત કારણોસર કે મનદુઃખ થતા તુષારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બેડરૂમમાં જઇ આત્મ હત્યા કરી લીધી હતી.
તેમણે ડાબા કાનની પાછળના ભાગે ગોળી મારી હતી. ગોળી એટલી નજીકથી અને જોરથી મારવામાં આવી તે માથું ફાડીને આરપાર નીકળી ગઈ હતી અને સામેની દીવાલ સાથે અથડાઈને નીચે પડી હતી. પોલીસને તુષારભાઈના રૂમમાંથી જે રિવોલ્વર મળી, તેમાં મેગેઝિન ઇન્સર્ટ કરેલું નહોતું. રિવોલ્વરની ચેમ્બરમાં એક ગોળી પહેલેથી જ લોડ થયેલી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર, દીવાલમાં અથડાયેલી ગોળી અને ડ્રોઅરમાંથી 5 ગોળી ભરેલું મેગેઝિન તથા અન્ય 15 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. હથિયારને હાલ એફએસએલ (FSL)માં મોકલ્યુ છે. આ ગોળી 9 MMની હતી. પાંચ દિવસની સારવાર બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા. હવે પ્રશ્ન છે કે તેમણે આવું પગલુ કેમ ભર્યું હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો