કોઈના પર આડેધડ વિશ્વાસ કરતાં પહેલા ખાસ વાંચો લો ! ધર્મપરિવર્તને લઈને એવો કિસ્સો સામે આવ્યો કે જાણીને ઊડી જશે હોશ…

સુરતના માંડવી તાલુકામાં ધર્માંતરણનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક ડોક્ટરે પોતાની ક્લિનિકમાં સારવાર લેવા આવતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને ધર્મ બદલવા દબાણ કર્યું. આરોપી ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને કહ્યું કે જો તે પોતાના સમગ્ર પરિવાર સાથે ધર્મ બદલશે તો જ લગ્ન કરશે.

મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી, જેના પગલે ડોક્ટરની ધરપકડ થઈ. પરંતુ અસલી આંચકો ત્યારે લાગ્યો જ્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીના પિતા રામજીભાઈ ચૌધરી, જે સરકારી શાળામાં આચાર્ય છે, તે જ આ ધર્માંતરણના કાળા ધંધાના મુખ્ય સૂત્રધાર હતા. તેઓ ખ્રિસ્તી પાસ્ટર તરીકે પણ કામ કરે છે

અને એક ટ્રસ્ટ ચલાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે તેઓ ગરીબ અને ભોળા લોકોને બીમારીમાં પ્રાર્થના અને બાધા રાખવાના નામે ફસાવીને ધર્માંતરણ કરાવતા હતા. પોલીસે પિતા-પુત્ર બંનેની ધરપકડ કરી છે અને આ સમગ્ર નેટવર્કની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:અમેરિકામાં રહેતા આ ભારતીય મહિલાએ ડૂબાડયું ભારતનું નામ ! કરી એવી હરકત કે જાણીને શર્મ આવશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version