મિત્રો જો તમે સમાચારપત્રો વાંચતા હશો તો તમને ખબર જ હશે કે સુરત શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક જ પરિવારના સાત સાત લોકોએ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાત રાજ્યની અંદર પડ્યા હતા, એવામાં વધુમાં આવી જ એક ઘટના હાલ બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે જેમાં એક જ પરિવારના ચાર લોકોનું નિધન થયું છે.
જણાવી દઈએ કે પાલનપુરના નાની ભટામલ ગામની અંદરથી આ ઘટના સામે આવી છે જ્યા પરણિતાએ તેના બે સંતાનો તથા સાસુ સાથે દાંતીવાડા ડેમની અંદર ઝંપલાવીને મૌતને ગળે લગાવી લીધું હતું, આ ઘટનાની જાણ થતાની સાથે જ આખું ગામ દાંતીવાડા ડેમ દોડી ગયું હતું એવામાં આ ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ તપાસ દ્વારા આત્મહત્યા કરવા પાછળનું ખાસ કારણ પણ સામે આવ્યું છે જેમાં જાણવા મળ્યું હતું કે પરણિતાનો પતિ તથા તેના સસરા દ્વારા ખુબ ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ મૃતક પરણિતાના ભાઈએ લખાવી છે. તમને જણાવી દઈએ કે મૃતકનું નામ નયનાબેન નારણસીંગ ચૌહાણ(ઉ.વ.30),સપનાબા નારણસીંગ ચૌહાણ(ઉ.વ.8),વિરમસિંગ નારણસીંગ ચૌહાણ(ઉ.વ.5) તથા સાસુ કનુબા ગેંનસીંગ ચૌહાણ(ઉ.વ.55) હોવાનું હાલ સામે આવ્યું છે.
મૃતક નયનાબેને પોતાના સંતાનો સહીત સાસુ સાથે દાંતીવાડા ડેમમાં કૂદીને પોતાના મૌતને વ્હાલું કરી લીધું હતું, હાલ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જયારે એક જ ગામમાંથી એક સાથે ચાર ચાર ચિત્તાઓ ઉઠી તો સૌ કોઈ રડી જ પડ્યું હતું અને આખું ગામ શોકમય બન્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.