ગુજરાતમાં એક પછી એક ખુદખશી કરીને જીવન ટૂંકાવવાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં એક પાટીદાર યુવતીએ ખુદખશી કરીને જીવન ટૂંકાવ્યું છે વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે.
સુરતમાં 21 વર્ષીય પાટીદાર પરિણીતાએ ઘરે ફાં!સો ખાઈ ખુદખશી કરી છે. લગ્નના એક વર્ષમાં જ સાસરીયાઓએ ત્રાસ આપતા તેણે ખુદખશી કર્યા હોવાનું કહેવાય છે.
મળેલ માહિતી અનુસાર, સુરતના ગવિયર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારમાં એકની એક દીકરી કરીના પટેલ હતી 21 વર્ષીય કરીનાએ એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
કરીના પરિવારની લાડલી હતી, અને સોશિયલ મીડિયના માધ્યમથી તે કિશન પટેલના સંપર્કમાં આવી હતી. તેના પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હતો. તેથી તેણે એક વર્ષ પહેલા ભાગીને કિશન સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના ત્રણ મહિના બાદ કરીનાને તેના પિયર પક્ષના લોકોએ રાજીખુશીથી બોલાવી હતી. તેના બાદ તે તેના પિયરમાં આવવા-જવા લાગી હતી. પરંતુ બીજી તરફ, કિશન કોઈ કામધંધો કરતો ન હતો. તેથી તે કરીનાને તેના માતાપિતા પાસેથી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યો હતો. તે કરીનાને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો.
કિશન ઘરમાં રૂપિયા લાવતો ન હોવાથી કરીનાને ઘર ચલાવવામાં પણ પરેશાન થઈ ગયા હતા. તેથી માનસિક રીતે ભાંગી ગયેલી કરીનાએ પોતાના ઘરમાં ફાં!સો ખાઈ ખુદખશી કરી હતી આ વાતની જાણ થતા જ તેના માતાપિતા દોડતા આવ્યા હતા અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:આ મહિલાના દમ પર ઊભું છે TATA ગ્રુપ ! ટાટાગ્રુપ ને બચાવવા દાગીના પણ ગિરવી મૂક્યા હતા….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
