ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જામનગર જિલ્લામાંથી આ કરુણ ઘટના પ્રકાશમાં આવી છે એકે સાથે 5 લોકોની અર્થી ઉઠી છે જામનગરમાં રહેતો એક પરિવાર બહાર ફરવા ગયો હતો. સહેલગાહ દરમિયાન પરિવાર જિલ્લાના સાપડા ડેમમાં ન્હાવા ગયો હતો અને ત્યારબાદ આખો પરિવાર ડૂબી ગયો હતો.
માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો અને ડાઇવર્સે પહોંચીને પરિવારના તમામ સભ્યોના મૃતદેહને બહાર કાઢ્યા હતા મૃતકોમાં બે મહિલા અને બે છોકરાઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ તેમના પરિવાર સાથે સપડા ડેમના કિનારે વિસ્તારમાં ફરવા ગયા હતા. જ્યાં પરિવારના પાંચ સભ્યો ડેમમાં ન્હાવા લાગ્યા હતા. જ્યાં ડૂબી જવાથી પાંચના નિધન થયા છે.
ડૂબી જવાની ઘટનાની જાણ તમામ ફાયર બ્રિગેડ અને વધુ 108 પોલીસ ટીમને કરવામાં આવી હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી અને ઘણા કલાકોની મહેનત બાદ પાંચેય મૃતદેહો બહાર કાઢી શકાયા હતા. જિલ્લા પ્રશાસને પણ આ ઘટનાની તપાસ કરવાની સૂચના આપી છે કે ફરજ પરનો સ્ટાફ ત્યાં કેમ દેખાતો નથી. જેના કારણે બેદરકારીના કારણે પાંચ લોકોના નિધન થયા હતા.
આ પણ વાંચો:70 વર્ષની ઉમરમાં ક્યારેય નહીં જોયો હોય અભિનેત્રી રેખાનો આવો લુક ! જુઓ તસવીરો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
